॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૯: ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું

પ્રસંગ

પાંચ વર્ષ પૂર્વે વણાકબોરીના મંદિરનો ખાતવિધિ કરવા જઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજે આ ગામના રહીશોને ગાડી ઊભી રખાવી બેઠાં બેઠાં જ આશીર્વાદ આપેલા; પરંતુ તે ક્રિયાથી સૌમાં રોપાયેલાં ભક્તિબીજ આજે મંદિરરૂપે મહોરી ઊઠેલાં! તેમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવા સ્વામીશ્રી પધાર્યા એ તેઓની આ ગામમાં પ્રથમ પધરામણી!

આમ, દૃષ્ટિમાત્રે સત્સંગ ખીલવી શકે એવા પ્રતાપી સ્વામીશ્રીએ કરેલો અથાક પરિશ્રમ આપણી પ્રેરણા માટે જ હશે કે શું?!

આવો શ્રમ ઉઠાવીને આજે અહીં પહોંચેલા તેઓએ વૈદિક વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી ડાકોરમાં બપોરનો વિશ્રામ લીધો.

અત્રે સાંજે રણછોડરાયજીનાં દર્શન બાદ પીપલગ થઈને સ્વામીશ્રી રાત્રે નડિયાદ પહોંચ્યા ત્યારે આજના દિવસે પાંચ ગામોમાં વિચરણ થઈ ચૂકેલું. તેથી સાથે રહેલા એક સંત બોલ્યા, “આજે તો થાકી ગયો. અમને થાક લાગે છે તો આ ઉંમરે આપને કેટલો થાક લાગ્યો હશે?!”

“આસક્તિનું વચનામૃત કયું?” જવાબ આપવાને બદલે સ્વામીશ્રીએ સામે પ્રશ્ન પૂછ્યો. પછી એ વચનામૃતનું પોતે જ આખું વિવરણ કરી બોલ્યા, “ભલા માણસ! ભગવાન ભજવા હોય એને થાક કેવો?”

ભગવાનની લગની માનવીય શક્તિઓને કેટલી વિસ્તારી શકે છે તેનું દર્શન સ્વામીશ્રીના પ્રત્યેક દિવસે થતું રહેતું.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૧૫૦]

Five years earlier, Pramukh Swami Maharaj was on his way to Vanakbori’s groundbreaking ceremony for the mandir. He had his car stopped in Vanakbori and gave blessings to the people. From this simple act of Swamishri, the seeds of devotion were sowed and the result was the mandir.

When Swamishri returned for the murti-pratishtha, it was his first padharamani in the village.

After pratishtha ceremony, Swamishri resumed his tireless travels and rested in Dakor. After darshan of Ranchhodrai, Swamishri reached Nadiad via Piplag. Swamishri had traveled through five villages by the end of the day. Therefore, an accompanying sadhu remarked to Swamishri, “I am simply tired today. If we are tired at this age, then you must also be tired.”

“Which Vachanamrut is about being attached to God?” Swamishri asked, but then explained the Vachanamrut and said, “How can one speak of being tired if one wants to worship God?”

Swamishri was the embodiment of having total attachment to God and God related activities. He never experienced fatigue.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/150]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase